પોસ્ટ્સ

જુલાઈ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શુ તમે જાણો છો ? ? ભારત દેશમાં કઠોળ પાકનું ઉત્પાદન કેમ ઓછું થાય છે. #GreenlandAgriConsultancy #cereals #Agriculture

છબી
       કઠોળ એ ભારતીય લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. ભારત દેશને, અન્ય દેશો કરતા સૌથી વધારે કઠોળની જરૂરિયાત રહે છે. ભારત દેશ કઠોળ ઉત્પાદનમાં વિશ્વમાં સૌથી મોખરે છે એ હકીકત છે પણ દેશમાં એટલું કઠોળ ઉત્પન્ન થતું નથી કે તે આખા દેશની જરૂરિયાત પૂરી કરવા સક્ષમ થઈ શકે. તેથી ભારત દેશ અન્ય દેશો પાસેથી સૌથી વધુ કઠોળ આયાત કરીને, કઠોળ આયાતમાં પણ વિશ્વમાં પ્રથમ છે તેથી દેશનું બહુ મૂલ્ય હૂંડિયામણ વિદેશોમાં જાય છે એ મોટી વિડંબના છે. આ બહારથી આવતું કઠોળ દેશમાં ઉત્પાદન થયેલાં કઠોળ કરતા વધારે સસ્તું હોવાને લીધે ઘણી વખત વ્યાપાર કરતા લોકો બહારથી વધારે પડતું કઠોળ મંગાવીને દેશમાં ઉત્પાદિત થયેલા કઠોળના ભાવ ને પણ ઓછા કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી કઠોળ ચર્ચાનો વિષય બન્યો છે. નીતિનિયમો ઘડનાર અને ખાસ કરીને કઠોળમાં વધતા જતા ભાવ અને કઠોળની દેશમાં અછત એ ઓપોઝિશન પાર્ટી માટે એક વિરોધનો મુદ્દે બની ગયો છે. આના નિવારણ માટે સરકારે એક ખાસ કમિટી બનાવી છે. જેનું સંચાલન શ્રી અરવિંદ સુબ્રહ્મણીયમ કરી રહ્યા છે જેઓ મુખ્ય આર્થિક સલાહકાર છે. તેઓ દેશમાં કઠોળ ઉત્પાદન, વેચાણ અને વિતરણ વગેરેને સુધારવા વ...

બેક્ટેરિયા વાપરવા સમયે રાખવાની કાળજીઓ

છબી
બેક્ટેરિયા વાપરવા સમયે રાખવાની કાળજીઓ જે જમીનમાં પહેલેથી સેન્દ્રીય પદાર્થ વધુ હોય અથવા વધુ સેન્દ્રીય પદાર્થ આપવામાં આવે તો બેક્ટેરિયા વધુ સારું કામ આપે છે.  બેક્ટેરિયા હંમેશા ઓર્ગેનિક પદાર્થ જેવા કે ગળતિયું છાણીયુ ખાતર, દિવેલી ખોળ, કરંજનો ખોળ અથવા અળસિયાના ખાતર સાથે વ્યવસ્થિત મિક્ષ કરીને જમીનમાં ભેજ હોઈ ત્યારે આપવા જોઈએ. બેક્ટેરિયાની કેપસ્યુલ ફોર્મયુલેશનને ને 200 લીટર પાણીમાં ઓગાળીને સાથે 500 gm ગોળ નાખીને બેક્ટેરિયાની સંખ્યા વધારીને વાપરવાથી વધુ સારા રીઝલ્ટ મળે છે.  બેક્ટેરિયા વાપરવા સમયે હંમેશા જમીનમાં ભેજ હોવો જોઈએ. અથવા બેક્ટેરિયા આપીને તરતજ પિયત આપવું.  કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કેમિકલ ખાતર કે ફૂગનાશક દવાઓ સાથે ઉપયોગ કરવા હિતાવહ નથી. જો ખૂબ આવશ્યકતા હોઈ તો બેક્ટેરિયા જમીનમાં વાપરવા સમયે આગળ - પાછળ 5 થી 7 દિવસનો ગાળો રાખવો.  બેક્ટેરિયાને હંમેશા સૂકી અને ઠંડક વાળી જગ્યાએ સાચવવા, તથા વધુ તાપમાન વાળી કે સીધા સૂર્ય પ્રકાશ આવે એવી જગ્યાએ રાખવા નહિ.  છોડ પર અથવા ખેતરમાં બેક્ટેરિયાનો છટકાવ હંમેશા વહેલી સવારે અથવા સાંજના સમયે જ ઉપયોગ કરવો. ( સવાર કરતા સાંજના સમયે વ...