ઓર્ગેનિક ખેતી

બેક્ટેરિયા વાપરવા સમયે રાખવાની કાળજીઓ

બેક્ટેરિયા વાપરવા સમયે રાખવાની કાળજીઓ

  • જે જમીનમાં પહેલેથી સેન્દ્રીય પદાર્થ વધુ હોય અથવા વધુ સેન્દ્રીય પદાર્થ આપવામાં આવે તો બેક્ટેરિયા વધુ સારું કામ આપે છે. 

  • બેક્ટેરિયા હંમેશા ઓર્ગેનિક પદાર્થ જેવા કે ગળતિયું છાણીયુ ખાતર, દિવેલી ખોળ, કરંજનો ખોળ અથવા અળસિયાના ખાતર સાથે વ્યવસ્થિત મિક્ષ કરીને જમીનમાં ભેજ હોઈ ત્યારે આપવા જોઈએ.


  • બેક્ટેરિયાની કેપસ્યુલ ફોર્મયુલેશનને ને 200 લીટર પાણીમાં ઓગાળીને સાથે 500 gm ગોળ નાખીને બેક્ટેરિયાની સંખ્યા વધારીને વાપરવાથી વધુ સારા રીઝલ્ટ મળે છે. 

  • બેક્ટેરિયા વાપરવા સમયે હંમેશા જમીનમાં ભેજ હોવો જોઈએ. અથવા બેક્ટેરિયા આપીને તરતજ પિયત આપવું. 

  • કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કેમિકલ ખાતર કે ફૂગનાશક દવાઓ સાથે ઉપયોગ કરવા હિતાવહ નથી. જો ખૂબ આવશ્યકતા હોઈ તો બેક્ટેરિયા જમીનમાં વાપરવા સમયે આગળ - પાછળ 5 થી 7 દિવસનો ગાળો રાખવો. 
  • બેક્ટેરિયાને હંમેશા સૂકી અને ઠંડક વાળી જગ્યાએ સાચવવા, તથા વધુ તાપમાન વાળી કે સીધા સૂર્ય પ્રકાશ આવે એવી જગ્યાએ રાખવા નહિ. 

  • છોડ પર અથવા ખેતરમાં બેક્ટેરિયાનો છટકાવ હંમેશા વહેલી સવારે અથવા સાંજના સમયે જ ઉપયોગ કરવો. ( સવાર કરતા સાંજના સમયે વધુ સારા રિઝલ્ટ મળે છે. )

    વધુ માહિતી માટે કૃષિ નિષ્ણાતની સલાહ લેવી અથવા વૉટ્સએપ આઇકોન પર ક્લિક કરીને ગ્રીનલેન્ડ એગ્રી કંસલ્ટન્સીમાં સંપર્ક કરવો 👉 

    આપને આ લેખ સારો લાગે તો અન્ય ખેડૂતમિત્રો સાથે અત્યારે જ શેર કરો


આભાર...

ટીમ
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨‍🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...

ટિપ્પણીઓ

લોકપ્રિય લેખ

કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...

શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો...

મગફળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની ટ્રિક...