પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણની અરજીની માહિતી..

છબી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણના વિતરણ બાબતે :-  ખેડૂતો ચણા-ઘઉંના બિયારણ માટે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. દર વર્ષની જેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પણ  રવી સીઝન 2020 - 2 2ની ઋતુમાં વાવેતર માટે વિવિધ બિયારણનું વિતરણ થવાનું છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણનો લાભ લેવા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.            સૂત્રોના જણાવ્યા અનુસાર શિયાળુ ઋતુના પાકોના બિયારણમાં હાલ મુખ્યત્વે ચણા અને ઘઉંના બિયારણનું વેચાણ થવાનું છે. જે પૈકી- ચણાની GJG-3 (ગુજરાત જુનાગઢ ચણા -3 નંબર) અને GG-5 (ગુજરાત ચણા - 5 નંબર) ( એક બેગમાં ભરતી - 25 kg રહેશે .)      ગુજરાત જૂનાગઢ ચણા 3 નંબરનો છોડ, બિયારણ અને તેની ખાસિયતો...         તથા ઘઉંની LOK-1,  GW-496 અને GW-451  જાતોના પ્રમાણિત/ટ્રુથફુલ બિયારણની ફાળવણી કરવામાં આવશે.( એક બેગમાં ભરતી 40 kg રહેશે .) ખેડૂતોએ બિયારણ મેળવવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ જે આગળ લેખમાં આપેલ છે એના પર ઓનલાઈન નોંધણી કર...

ખેડૂતોની આવક વધારવાની પદ્ધતિ એટલે ઇન્ટિગ્રેટેડ ખેતી...

છબી
                          ઇન્ટિગ્રેટેડ ખેતી  નમસ્કાર ખેડૂતમિત્રો...     આજની ખેતીની વાત ના લેખમાં ખૂબ જ સરસ મજાના ટોપિક પર વાત કરવાની છે. ઇન્ટિગ્રેટેડ ફર્મિંગ એટલે કે સંકલિત ખેતી. સંકલિત ખેતી એટલે એવી ખેતી જેમાં ફાર્મના એક કરતા વધારે ધટકોનો, એક બીજા માટે વપરાશ થાય અને સરવાળે વધુ નફો અને વધુ ઉત્પાદકતા મળે તેને સંકલિત ખેતી કહી શકાય. સંકલિત ખેતીમાં ખેતીના અલગ અલગ વ્યવસાયને એક બીજા સાથે સુસંગત રીતે જોડીને ઉપયોગમાં લેવામાં આવે છે. ખેતીના એક વ્યવસાય માંથી નીકળતી બાય પ્રોડક્ટ બીજા વ્યવસાયમાં ઉપયોગમાં લેવામાં આવે છે જે થકી ખેડૂત પાસે રહેલા કુદરતી સંસાધનો નો વધુ સારી રીતે તથા કાર્યક્ષમ ઉપયોગ થાય છે.       એક ઉદાહરણ સાથે સમજીએ તો ગુજરાત રાજ્યના, સૌરાષ્ટ્રના એક નાના ખેડૂત સવજીભાઈ , પોતાના ખેતરમાં  ખેતીની સાથે પશુપાલન અને બાગાયત પણ કરે છે ખેતીની જમીન સાથે એમને 2 ગાયો અને 2 બળદ છે. આમ જોઈએ તો પશુપાલન એ જુદો વ્યવસાય છે પણ ઇન્ટિગ્રેટેડ ખેતીમાં એક કરતા વધુ વ્યવસાયને જોડવામાં આવે છે . હવ...

નારિયેળી અને નારિયેળ પાણીના અદભુત ફાયદા ...

છબી
World Coconut Day : આજે વિશ્વ નારિયેળી દિવસ છે. દર વર્ષે 2 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ નારિયેળી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મહિમા નારિયેળ ના ફાયદા અને તેની અંદર રહેલી વિશેષતાનું મહત્વ સમજાવવાનો છે. વિશ્વ નારિયેળ દિવસ એ 2009 ના વર્ષથી ઉજવવામાં આવી રહ્યો છે . આ દિવસ એશિયન અને પેસિફિક કોકોનટ કમ્યુનિટી દ્વારા ઉજવવામાં આવે છે. આ એસીપીસી કમિટીમાં વિશ્વ સ્તરે 18 દેશો જોડાયેલા છે. એમાંનો એક દેશ ભારત પણ છે.  એપીસીસી એ એશિયા-પેસિફિકના રાજ્યોની આંતર-સરકારી સંસ્થા છે. એપીસીસીનો હેતુ "નાળિયેર ઉદ્યોગની તમામ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન, યોગ્ય સહકાર અને સુમેળ આપવાનો છે".  એપીસીસી નું મુખ્ય મથક ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આવેલું છે.  નારિયેળી દિવસ ઉજવવા પાછળનો એક હેતુ લોકો ને એ સમજાવવાનો છે કે નારિયેળી ગરીબી દૂર કરવામાં ખૂબ મોટો ભાગ ભજવી શકે તેમ છે.   નારિયેળીના ઝાડ અને નારિયેળના ખૂબ ફાયદા છે. નારિયેળીના ઝાડનો દરેક ભાગ ખૂબ જ ઉપયોગી છે તેથી તેને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે. નારિયેળીના ફાયદા ની વાત કરીયે તો... (1) નારિયેળી આપણને ત્રોફા આપે છે. જેનું પાણી વિટા...