પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શેઢા પાળે કરો વાંસની ખેતી, આટલા થશે ફાયદા...

છબી
શેઢા પાળે કરો વાંસની ખેતી.. થશે આટલા ફાયદા.  (1) ખેતરના શેઢા પાળે વાવેતર કરેલા વાંસ ખૂબ વધારે પવનથી પાકને બચાવે છે.  (2) વાંસના મૂળ જમીનને પકડી રાખે છે તેથી જમીનનું ધોવાણ પણ અટકાવે છે . (3) જંગલી પશુઓ જેવાકે રોજ, નીલગાય અને હરણ તેમજ રેઢિયાળ ઢોરને ખેતરમાં આવતા અટકાવે છે. એટલે કે ફેંસીંગ તરીકે કાર્ય કરે છે . (4) વર્ષો વર્ષ જે પાંદ ખરે છે તેમાંથી સારું ખાતર બનાવી શકાય છે.  (5) આજુ બાજુના ખેતરમાંથી હવા દ્વારા ફેલાતી જીવાત અને સ્પ્રે સમયે ઉડતી રસાયણની ઝણ રોકે છે  (6) વાવેતર ખર્ચ એકજ વખત થાય છે ત્યાર બાદ વારંવાર સાઈડ પીલ્લામાંથી નવા વાંસ ઉગે છે.  (7) વાંસમાથી ટેબલ, ખુરચી, પલંગ, ટોકરી, કુટીર, જુલા, ટેન્ટ વગેરે તેમજ સુશોભનની વસ્તુઓ બનતી હોવાથી તેની માંગ પણ વધારે છે. અમુક વર્ષો પછી એ આવકનો સારો સ્ત્રોત બની જાય છે.  (8) ઘાટુ વાવેતર હોવાથી પક્ષીઓને ખોરાક, રહેઠાણ અને સુરક્ષા મળી રહે છે તેથી ઘણા પક્ષીઓ વાંસના ઝાડ પર માળા બનાવે છે આમ કુદરતી વ્યવથાઓને પુનઃ જીવંત કરી શકાય છે.  જો આ લેખ આપને સારો લાગે તો અન્ય ખેડૂતમિત્રો ને પણ મોકલવા વિનંતી... ટીમ... GREE...

ખેતરમાં પાણી ભરાઇ રહેવાથી થતા નુકશાન અને તેના સમાધાન...

છબી
નમસ્કાર, ખેડૂત મિત્રો...       હાલ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદની પરિસ્થિતિ છે ત્યારે દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોના ખેતરો પાણીથી ડૂબી ગયા છે. ત્યારે આપણે ખેતરમાં પાણી ભરાવવાના કારણે થતા નુકશાન અને તેના નિવારણ વિશે વાત કરીશું.     પાણી ભરાવવાના મુખ્ય કારણો વિશે વાત કરીએ તો તે છે વૃક્ષોનું અંધાધૂંન નિકંદન, વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ, જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં થયેલો ઘટાડો તેમજ શહેરીકરણ કે જેના કારણે પાણી નિકાલની કુદરતી વ્યવસ્થામાં વિક્ષેપ પડ્યો છે. તે સિવાય ભારે વરસાદ, પિયત પાણીનો બેફામ ઉપયોગ, જમીન વધારવાની લાલચમાં પાણીના વહેણના કુદરતી માર્ગો જેવા કે નેર, બૂટીયા, ખાળ, ગાડા શેર વગેરેને બુરી દેવા જેવા કારણો જવાબદાર છે. આ સિવાય કેનાલ અને જળ સંગ્રહાલય જેવા કે સરોવર/ડેમ માંથી પાણીનું ઝમણ (રિઝવુ), વધુ વરસાદના કારણે ડેમ ઓવરફ્લો સમયે નીચાણ વાળા વિસ્તારના ગામડામાં પાણી ભરાવું, જમીન માંથી પાણીનો ધીમો નિતાર (ભારે કાળી જમીન કે જેમાં સુક્ષ્મ કાણાઓ (માઇક્રો પોર) હોય છે જેથી પાણી નીતરી શકે નહીં), જમીનમાં ઉપર સતત ભા...

શુ તમે તમારા ઘરે સુશોભનના કુંડા કે ગાર્ડનને વધુ સારા બનાવવા માંગો છો ?

છબી
શુ તમે તમારા ઘરે સુશોભનના કુંડા કે ગાર્ડનને વધુ સારા બનાવવા માંગો છો ? આ પોઈન્ટસ ખાસ ધ્યાનમાં રાખો.  (1) સુશોભનના છોડ અને કુંડાની પસંદગી      ગાર્ડન શોખીનો અને વધુ સારું કરવા માંગતા વ્યક્તિઓ માટે છોડની પસંદગી મૂંઝવણનો વિષય હોઈ છે ત્યારે આ ટિપ્સ કદાચ તમને થોડી મદદ કરશે. જો કુંડા ઘરની અંદર રાખવાના હોઈ તો સેડ લવિંગ છોડની પસંદગી કરવી જોઈએ.  ઘરની અંદર એર પયુરિફાયર પ્લાન્ટ્સ જરૂર રાખવા જોઈએ. ઉદાહરણ તરીકે :- એલોવેરા/કુંવાર પાઠું, સ્નેક પ્લાન્ટ, અરેકા પામ, ઓર્ચીડ, તથા પીસ લીલી વગેરે. ખૂબ ભારે કુંડા ખરીદવા કરતા વજનમાં હળવા અને ટકાઉ મજબૂત કુંડા પસંદ કરવા.  કુંડાનું કદ છોડના આકાર અને કદ સાથે સમતુલન સાધતુ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે ખૂબ નાના કુંડામાં, મોટો છોડ કે ખૂબ મોટા કુંડામાં, નાનો છોડ - કુંડાની શોભા બગાડે છે. માટે છોડના કદ અને આકાર પ્રમાણે કુંડાની પસંદગી કરવી જોઈએ.  કુંડામાં છોડ વાવેતર કરતા પહેલા હંમેશા નીચેના તળિયામાં વધારાનું પાણી કાઢવા માટે હોલ બનાવવા જોઇએ. હોલ ને પથ્થરથી કે નળિયાં ના બટકાથી ઢાંકી દેવાથી કુંડાની અંદરની માટી બહાર આવતી અટકાવી શકાય છે.  અમ...

મજૂરોની તકલીફ છે ?? આવી ગયું છે નવું હારવેસ્ટર જેમાં મગ, ચણા, તુવેર કે સોયાબીનની પણ કાપણી કરી શકાશે. વધુ જાણવા માંગો છો તો આ લેખ વાંચો. #Ace act 60 @greenlandagriconsultancy #harvestor

છબી
   ભારતની અગ્રણી યાંત્રિકીકરણ સમાધાન આપતી કંપની ACE (Action Construction Equipment Ltd.) એ હમણાજ એક નવું હારવેસ્ટર લોન્ચ કર્યું છે.   જે વધુ પ્રકારના અનાજ/કઠોળ/ધાન્યની કાપણીમાં ખેડૂતોને મદદરૂપ થશે. આ નવા હારવેસ્ટરના મોડલનું નામ ACE હારવેસ્ટર ACT-60 છે. કંપનીએ આ હારવેસ્ટર પૂર્વ મધ્ય અને દક્ષિણ ભારતના ખેડૂતો માટે લોન્ચ કર્યું છે. આ હાર્વેસ્ટરનો ઉપયોગ ડાંગર, ઘઉં, મગ, સરસવ, તુવેર, સોયાબીન, મકાઈ, ચણા વગેરે જેવા અનેક પ્રકારના પાકને કાપવા માટે થાય છે. તેની વિશેષતા વિશે જાણીયે તો ... ● કટરની પહોળાઈ છે: 7.21 ફૂટ છે. ● અનાજની ટાંકીની સંગ્રહ માત્રા 1400 લિટર છે. એટલે કે અંદાજીત 700 થી 800 કિલો ચોખા સમાઈ શકે છે.  ● શ્રમ અને સમય બચાવવા સાથે, પાકની કાપણીનો ખર્ચ પણ નીચે આવે છે. તેનાથી ખેડૂતોને ફાયદો થાય છે. ● આ હારવેસ્ટરના ઉપયોગથી ખેતરમાં પાકની કાપણીનું કામ વધુ સારી ચોકસાઈથી થાય છે. ● અનાજ/કઠોળ/ધાન્યના દાણાને નુકશાન ઓછું થાય છે. ● આ હારવેસ્ટરની કાર્યક્ષમતા પણ વધુ સારી છે. ● જાળવણી અને રખ રખાવ ખર્ચ પણ ઓછો છે. ● આ મશીનો વજનમાં હલકા છે અને ઇંધણ વપરાશની કાર્યક્ષમતા શ્રેષ્...

શુ તમે તમારી મગફળી એક્સપોર્ટ કરવા માંગો છો ? પણ કોઈ જટીલ સમસ્યાઓ નડી રહી છે ? વધુ જાણવા ક્લિક કરો. #Groundnut_aflatoxin #Groundnut #greenlandagriconsultancy @greenlandagriconsultancy

છબી
નમસ્કાર, ખેડૂત મિત્રો        ગુજરાત રાજ્યમાં મગફળીનો પાક ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય મગફળીના ઉત્પાદનમાં મોખરે છે. ગુજરાતની મગફળીની દેશ વિદેશમાં પણ સારી માંગ છે. જો ખેડૂતો સાથે ભેગા થઈ ને કે એવા વેપારીઓ જે એક્સપોર્ટ કરે છે એવા વેપારીને માલ વેચીને સારો ભાવ અને બહારનું હૂંડિયામણ કમાઈ શકે છે. પણ ઘણી વખત આપણે સાંભળતા હોઈએ કે અન્ય દેશો દ્વારા મગફળીના કન્ટેનર રિજેક્ટ કરવામાં આવ્યા. આવું શુ કામ થાય છે એની પાછળની સમસ્યાઓ અને તેના સમાધાન વિશે આજે વાત કરીશું.       મગફળી નિકાસ ન થવા પાછળ કારણ છે આફલાટોક્સિન . આજે હું તમને મગફળીમાં આવતા આફલાટોક્સિનને કેવી રીતે થોડીક સામાન્ય કાળજીઓ દ્વારા ઘટાડી શકાય તે વિશે માહિતગાર કરીશ. પણ તે પહેલાં આ મગફળીમાં આવતું આફલાટોક્સિન છે શું ?? અને હાલ તેમના લીધે મગફળી નિકાસ કરતા ખેડૂતોને તેમજ આપણે બધાને કેવું નુકશાન થાય છે તે વિશે જાણીએ. આફલાટોક્સિન એ એક ઝેર છે જે એસપરજીલસ ફ્લેવસ નામની ફૂગથી થાય છે. આ અફલાટોક્સિનને કારણે મગફળીનો દાણો આપણે સ્વાદમાં કડવો લાગે છે જેથી આપણે જયારે મગફળી ખાતા...

ખેડૂતો માટે ખુશ ખબર... વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. : અશોકભાઈ પટેલ

છબી
ગુજરાત : હવામાન શાસ્ત્રી શ્રી અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.૬ સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં ઉત્તર અને લાગુ મધ્ય બંગાળની ખાડીમાં એક લોપ્રેશર સિસ્ટમ્સ બનવાની શકયતા છે. તારીખ 6 સપ્ટેમ્બર બાદ આ રાઉન્ડ સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટા વિસ્તારોને આવરી લેશે.       આશોકભાઈ પટેલે 17 ઓગસ્ટના જણાવ્યું હતું કે સાર્વત્રિક વરસાદ માટે થોડી રાહ જોવી પડશે. બંગાળની ખાડીમાં ઉત્તર અને લાગુ મધ્ય બંગાળની ખાડીમાં એક લોપ્રેશર સિસ્ટમ્સ બનવાની શકયતા છે એનાથી ખેડૂતોની એ રાહ પુરી થશે અને સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં તા. ૭ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે .  પ્રેશર બન્યા બાદ અરબી સમુદ્રથી મહારાષ્ટ્રથી લઈ લો પ્રેશર સિસ્ટમ્સ સુધી ઈસ્ટ - વેસ્ટ સીઅરઝોન થશે. ત્યારબાદ આ સિસ્ટમ્સ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરતી હોય મધ્યપ્રદેશ ઉપર આવે ત્યારે એક બહોળુ સરકયુલેશન ઉત્તર પૂર્વ અરબી સમુદ્રથી ગુજરાત સુધી છવાશે. જેના કારણે ગુજરાતના મોટા વિસ્તારોમાં વરસાદ આવરી લેશે.  Coutesy and special thanks to :- Shri Ashokbhai Patel