પોસ્ટ્સ

2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો...

છબી
નમસ્કાર ખેડૂતમિત્રો...        આજની કૃષિ ચર્ચામાં આપણે વાત કરીશું શિયાળુ પાકના વાવેતર પહેલા શુ શુ કાળજી રાખી શકાય તથા શિયાળુ પાક વાવેતર સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓની. આ વર્ષે ખૂબ વરસાદ થવાથી ઘણા વિસ્તારમાં ખૂબ નુકશાન થયેલ છે. ઘણા વિસ્તારમાં ખેડુતોને ઘણી નુકશાની વેઠવી પડેલ છે. ખેતી એ વાતાવરણ આધારિત છે તેથી વાતાવરણમાં થતા ફેરફારની પાક પર સારી નરસી અસર ઓછા વત્તા જોવા મળે છે. બીજના ઉગાવાથી લઈને નવા બીજના બનવા સુધીની સફરમાં જો તેને સમયે સમયે જરૂર મુજબની હવા, પાણી, સૂર્યપ્રકાશ અને જરૂરી તત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહે તો ઉત્પાદન ધાર્યા કરતાં ઘણું સારું આવે છે. શિયાળી પાકના લગભગ બધાજ બીજને ઉગવા માટે 22 થી 27 ℃ વચ્ચે તાપમાનની જરૂર પડે છે . આપણા માથી લગભગ ઘણા લોકો આ વસ્તુ જાણે છે પણ ઘણા ખેડૂતો ઉતાવળું વાવેતર કરવાની હોડમાં આગોતરું વાવેતર કરી દે છે હાલ એટલે કે તારીખ 08/10/2020 ના રોજ વાતાવરણ ખૂબ ગરમી વાળું છે. ઘણા ખેડૂતો આજની તારીખમાં વાવેતર માટે ની સલાહ કે બિયારણ માટે ફોન કરતા હોય છે. અમે સમજાવીએ છીએ કે અત્યારે વાવેતર ના કરવું જોઈએ તેમ છતાં લોકો અત્યારે વાવેતર કરે છ...

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના રબી સીઝન 2020-21 ના ચણા અને ઘઉંના બિયારણ વિતરણની મંજુર થયેલ ખેડૂતોની યાદી...

છબી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ  નમસ્કાર ખેડુતમિત્રો,      થોડા દિવસ પહેલા શિયાળુ સીઝનના બીજ ખરીદવા માટે ઘણા ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી કેટલા ખેડૂતોને એ બીજ મળવા પાત્ર છે એના નામની યાદી જાહેર થઈ ચૂકી છે. તમારું નામ આવ્યું કે નહીં એ જાણવા આ વાંચો...        આથી સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના ખેડૂતોને આગામી રબી ૨૦૨૧-૨૨ ઋતુ માટે યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત ચણાની જી જે જી - 3 નંબર અને જી જી - 5 નંબર તેમજ ઘઉંની લોક 1, GW-463, GW-496, GW- 451 અને GW-366 બિયારણ વિતરણની ઓનલાઈન અરજીઓ તારીખ 15-10-2021 થી તારીખ 30-10-2021 સુધી મંગાવવામાં આવેલ હતી. તેમા અરજીઓ બિયારણના જથ્થા કરતા વધારે થયેલ તેથી કમ્પ્યુટર દ્વારા રેન્ડમાઇઝેશન ના આધારે યુનિવર્સીટી દ્વારા ઉપલબ્ધ બીજના જથ્થા પ્રમાણે લોકોના નામ રેન્ડમલી સિલેક્ટ કરેલ છે. રેન્ડમાઇઝેશન બાદ પાક અને જાતવાર મંજુર થયેલ ખેડૂતોની પ્રથમ યાદી ( ચણા GG-5 ની 1 થી 700, ચણા જીજેજી-3 ની 1 થી 700) ( હાલ ઘઉંમાં જેમનો નંબર લાગ્યો છે એ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. અમને માહિતી મળશે એટલે તરત જ આપને મોક...

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણની અરજીની માહિતી..

છબી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણના વિતરણ બાબતે :-  ખેડૂતો ચણા-ઘઉંના બિયારણ માટે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. દર વર્ષની જેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પણ  રવી સીઝન 2020 - 2 2ની ઋતુમાં વાવેતર માટે વિવિધ બિયારણનું વિતરણ થવાનું છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણનો લાભ લેવા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.            સૂત્રોના જણાવ્યા અનુસાર શિયાળુ ઋતુના પાકોના બિયારણમાં હાલ મુખ્યત્વે ચણા અને ઘઉંના બિયારણનું વેચાણ થવાનું છે. જે પૈકી- ચણાની GJG-3 (ગુજરાત જુનાગઢ ચણા -3 નંબર) અને GG-5 (ગુજરાત ચણા - 5 નંબર) ( એક બેગમાં ભરતી - 25 kg રહેશે .)      ગુજરાત જૂનાગઢ ચણા 3 નંબરનો છોડ, બિયારણ અને તેની ખાસિયતો...         તથા ઘઉંની LOK-1,  GW-496 અને GW-451  જાતોના પ્રમાણિત/ટ્રુથફુલ બિયારણની ફાળવણી કરવામાં આવશે.( એક બેગમાં ભરતી 40 kg રહેશે .) ખેડૂતોએ બિયારણ મેળવવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ જે આગળ લેખમાં આપેલ છે એના પર ઓનલાઈન નોંધણી કર...

ખેડૂતોની આવક વધારવાની પદ્ધતિ એટલે ઇન્ટિગ્રેટેડ ખેતી...

છબી
                          ઇન્ટિગ્રેટેડ ખેતી  નમસ્કાર ખેડૂતમિત્રો...     આજની ખેતીની વાત ના લેખમાં ખૂબ જ સરસ મજાના ટોપિક પર વાત કરવાની છે. ઇન્ટિગ્રેટેડ ફર્મિંગ એટલે કે સંકલિત ખેતી. સંકલિત ખેતી એટલે એવી ખેતી જેમાં ફાર્મના એક કરતા વધારે ધટકોનો, એક બીજા માટે વપરાશ થાય અને સરવાળે વધુ નફો અને વધુ ઉત્પાદકતા મળે તેને સંકલિત ખેતી કહી શકાય. સંકલિત ખેતીમાં ખેતીના અલગ અલગ વ્યવસાયને એક બીજા સાથે સુસંગત રીતે જોડીને ઉપયોગમાં લેવામાં આવે છે. ખેતીના એક વ્યવસાય માંથી નીકળતી બાય પ્રોડક્ટ બીજા વ્યવસાયમાં ઉપયોગમાં લેવામાં આવે છે જે થકી ખેડૂત પાસે રહેલા કુદરતી સંસાધનો નો વધુ સારી રીતે તથા કાર્યક્ષમ ઉપયોગ થાય છે.       એક ઉદાહરણ સાથે સમજીએ તો ગુજરાત રાજ્યના, સૌરાષ્ટ્રના એક નાના ખેડૂત સવજીભાઈ , પોતાના ખેતરમાં  ખેતીની સાથે પશુપાલન અને બાગાયત પણ કરે છે ખેતીની જમીન સાથે એમને 2 ગાયો અને 2 બળદ છે. આમ જોઈએ તો પશુપાલન એ જુદો વ્યવસાય છે પણ ઇન્ટિગ્રેટેડ ખેતીમાં એક કરતા વધુ વ્યવસાયને જોડવામાં આવે છે . હવ...

નારિયેળી અને નારિયેળ પાણીના અદભુત ફાયદા ...

છબી
World Coconut Day : આજે વિશ્વ નારિયેળી દિવસ છે. દર વર્ષે 2 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ નારિયેળી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મહિમા નારિયેળ ના ફાયદા અને તેની અંદર રહેલી વિશેષતાનું મહત્વ સમજાવવાનો છે. વિશ્વ નારિયેળ દિવસ એ 2009 ના વર્ષથી ઉજવવામાં આવી રહ્યો છે . આ દિવસ એશિયન અને પેસિફિક કોકોનટ કમ્યુનિટી દ્વારા ઉજવવામાં આવે છે. આ એસીપીસી કમિટીમાં વિશ્વ સ્તરે 18 દેશો જોડાયેલા છે. એમાંનો એક દેશ ભારત પણ છે.  એપીસીસી એ એશિયા-પેસિફિકના રાજ્યોની આંતર-સરકારી સંસ્થા છે. એપીસીસીનો હેતુ "નાળિયેર ઉદ્યોગની તમામ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન, યોગ્ય સહકાર અને સુમેળ આપવાનો છે".  એપીસીસી નું મુખ્ય મથક ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આવેલું છે.  નારિયેળી દિવસ ઉજવવા પાછળનો એક હેતુ લોકો ને એ સમજાવવાનો છે કે નારિયેળી ગરીબી દૂર કરવામાં ખૂબ મોટો ભાગ ભજવી શકે તેમ છે.   નારિયેળીના ઝાડ અને નારિયેળના ખૂબ ફાયદા છે. નારિયેળીના ઝાડનો દરેક ભાગ ખૂબ જ ઉપયોગી છે તેથી તેને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે. નારિયેળીના ફાયદા ની વાત કરીયે તો... (1) નારિયેળી આપણને ત્રોફા આપે છે. જેનું પાણી વિટા...

મલેરિયા અને ડેંગ્યુથી બચવા આટલું જરૂર કરો.

છબી
ચોમાસાની ઋતુમાં વધુ વરસાદ ને લીધે  અલગ અલગ જગ્યાઓમાં પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરનો ખૂબ ઉપદ્રવ વધી જાય છે ત્યારે નીચે મુજબની કાળજીઓ રાખીયે તો મલેરિયા અને ડેંગ્યુ જેવા રોગોથી સરળતાથી બચી શકાય છે.  ● મેલેરિયા અને ડેન્ગ્યુથી બચવા મચ્છરનો ઉપદ્રવ થતો રોકો. ●  તમારા આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાનું ટાળો. ●  કૃપા કરીને પાણીની ટાંકી, પાણી ભરવાના વાસણ, પક્ષીને પાણી પાવાનું કુંડું, ફૂલ દાની, પ્લેટો વગેરે જેવી ચીજોમાં દર બીજા દિવસે પાણી બદલો.  ● પાણીની મોટી ટાકી, પશુઓને પાણી પાવાની કુંડી વગેરે જેવી જગ્યા, જેમાં રોજ પાણી બદલવું શક્ય ના હોઈ તેવી વસ્તુને વ્યવસ્થિત ઢાકો. ● તમારા ઘરની આસપાસની બધી બિનજરૂરી વસ્તુઓ જેવી કે જૂના ટાયર, જુના વાસણો અને ખાલી કુંડા વગેરે જેમાં પાણી ભરાતું હોઈ તેને દૂર કરો અથવા પાણી ભરાતું રોકવા તેમને ઊંધા મૂકો. ● ઉંચી નીચી જગ્યામાં પાણીના ખાબોચિયાં ભરાઈ રહેતા હોઈ ત્યાં માટી પૂરીને પાણીનો નિકાલ કરો. ●  જે ખાબોચિયામાંથી પાણી નિકાલ કરવું શક્ય ના હોઇ ત્યાં દરરોજ 2 થી 5 મિલી કેરોસીન અથવા નિમઓઇલ રેડી દેવું. ●  સ...

ફળાઉ ઝાડ શા માંટે વાવવા જોઈએ ?

છબી
    સામાન્ય રીતે આપણે સૌ વિભિન્ન પ્રકાર ના ઝાડ પાન વાવિએ છીએ. જેમાં સપ્તપર્ણી, લીમડો, મલબારી લીંબડો, કરંજ, ગુલમ્હોર, પેલ્ટોફોરમ, રેઇન ટ્રી, આસોપાલવ, વગેરે જ હોય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આટ આટલા ઝાડ વાવ્યા છતાંય કેમ વિવિધ રંગબેરંગી પક્ષિઓ, પતંગિયાઓ ખિસ્કોલા વિગેરે દેખાતા નથી, આંગણે લીમડો હોવા છતાંય કેમ એમાં પોપટ, ખેરખટ્ટો, કંસારો, લક્કડખોદ, સુડો, કોયલ, બુલબુલ, ચીબરી, ઘૂકિયો વિગેરે (આમાંથી ઘણા નામ તો આપણા માંથી ઘણા લોકો એ સાંભળ્યા પણ નહી હોય) પક્ષીઓ દેખાતા કેમ નથી, ચણ નાખવા ના ચબુતરા કેમ ખાલી નથી થતા. આ બધું કાંઈ વર્ષો થયે લુપ્ત નથી થયું, બસ હમણાં થોડા ૧૫/૨૦ વર્ષોની જ વાત છે. આ બધાજ પ્રકાર ના પક્ષીઓ નો ખોરાક આપણા દ્વારા નાખવામાં આવતા જવાર /બાજરી/દાળ નથી, પણ કોઈક એવા વૃક્ષો ના ફળ, ફૂલ, ને એમાં થતી જીવાતો છે  કે જેનો આપણે જાણતા/અજાણતા નાશ કરી દીધો. કોઈ એવા મોટા વૃક્ષોની અંદરની બખોલો જેનો સફાયો થયી ગયો.  આપણા આંગણા ની પ્રકૃતિ પાછી જાગૃત કરવા ચાલો ફરીથી આપણે એવા વૃક્ષો નું વાવેતર કરીયે જેના થાકી આ બધા જીવો પાછા ફરે ને પ્રકૃતિ ને પાછી પેલા જેવી જીવંત બનાવે...

આત્મનિર્ભર ખેડૂત

છબી
આત્મનિર્ભર નો સામાન્ય અર્થ તો પોતાના પગ પર ઉભા રહેવું એવો કહી શકાય . આજના સમયે ભારત દેશ એ યુવાઓનો દેશ અથવા તો યુવાન દેશ તરીકે જાણીતો છે. 2020 ના આ વર્ષમાં દરેક ભારતીયની સરેરાશ ઉમર 29 વર્ષ છે. જે દેશ પાસે આટલા યુવાન લોકો હોઈ તેને બીજા પર ખૂબ જ ઓછું નિર્ભર રહેવાની જરૂર પડે છે. ફક્ત જરૂર છે આ દરેક લોકોને તેની આવડત અને કુશળતાને આધારે કામ મળે. ટૂંકમાં કહીએ તો દેશના દરેક લોકો કોઈ ના કોઈ ક્ષેત્રે પ્રોડકટિવ (ઉત્પાદનવર્ધક) કામ કરતા હોવા જોઈએ. હવે દરેક લોકો ને કામ અપાવવા માટે નવા વ્યવસાયની અને નવી રોજગારીની તકો ઉભી કરવી પડે. હાલ જે જે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી કે સાધનો આપણે નથી બનાવી રહ્યાં અથવા બહારના દેશ પાસેથી મંગાવી રહ્યા છીએ એ આપણા ભારત દેશમાં જ ઉત્પાદન થાય તેવી વ્યવસ્થા કરવી પડે. ફક્ત ઉત્પાદન જ ન કરતા એ વસ્તુઓ ગુણવત્તા બાબતે પણ ઉતરોતર સારી અને સંશોધિત ટેક્નોલોજી કાર્યક્ષમ હોવી જોઈએ.  દરેક વખતે સરકાર નોકરી આપે એવી આશા સાથે બેસી રહેવું એ આત્મનિર્ભરતા નથી. સરકાર તમને સહાય કરશે, સરકારી યોજનાનો તમને લાભ મળશે એવી ખોટી આશા પર બેસી રહેવા અને નોકરી ના હોવાના ખોટા બુમો બરાડા કરવા કરતા...